વિદ્યાર્થીઓની જીત! પેપર લીક મુદ્દે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી દીધું છે. NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓ અને જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લગતા દેશવ્યાપી વિવાદ વચ્ચે તેમણે આ નિર્ણય લીધો છે. પ્રધાને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી અને રાજીનામું આપવાના કારણો સમજાવ્યા.
તેમના પત્રમાં, તેમણે લખ્યું કે ચાર દાયકાથી વધુ સમયથી, તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત છે. તેઓ હંમેશા માનતા આવ્યા છે કે એક મજબૂત, સમાવિષ્ટ અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એ કોઈપણ રાષ્ટ્રના વિકાસનો પાયો છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “3 મે, 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓની ફરિયાદો સામે આવતાની સાથે જ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી. કેસની તપાસ CBI ને સોંપવામાં આવી, પરીક્ષા રદ કરવાનો અને તેને ફરીથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો, અને એવી જાહેરાત કરવામાં આવી કે આગામી વર્ષથી NEET સંપૂર્ણપણે કમ્પ્યુટર-આધારિત (CBT) મોડમાં લેવામાં આવશે.”
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ અભિજીત દિપકે કહે છે, “…આ પહેલી વિકેટ છે. આપણે અહીં અટકવાના નથી. આ તો ફક્ત શરૂઆત છે. હું બધા વિદ્યાર્થીઓને, છેલ્લા 36 દિવસથી અહીં બેઠેલા બધા સ્વયંસેવકોને સલામ કરું છું…”
દિપકે કહ્યું કે, ડરવાની કોઈ જરૂર નથી. આ લોકશાહી છે. તેમણે રાજીનામું આપી દીધું છે, પરંતુ અમારી બે વધુ માંગણીઓ છે. અમે આ રીતે નહીં જઈએ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. પરંતુ આત્મહત્યા કરનારા બાળકોના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ. તેમને તે મળવું જોઈએ. તે બધા પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર. અને બીજું, આ પોલીસ ગુંડાઓ જેમણે 20 તારીખે કાર્યવાહી કરી હતી. તેના માટે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.