સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનનો ભય એટલી હદે વધી ગયો છે કે લોકો તેમાંથી બચવાના વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે. તાજેતરમાં એક વિડિયો વાયરલ થયો છે જેમાં કોરોના દેવીની પૂજા કરતા મહારાજ નજરે પડે છે..કોરોના દેવી’ની સ્થાપના કોઈમ્બતુરમાં કમતચિપુરી મંદિરમાં ‘ કરવામાં આવી છે.આ મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે જેની ઉંચાઇ 1.5 ફૂટ છે.મંદિરમાં પૂજારીઓ 48 દિવસ સુધી આ કોરોના દેવીની પૂજા કરીને દેશમાંથી કોરોના વાઈરસનો નાશ કરવાની પ્રાર્થના કરશે..મંદિરના મેનેજમેન્ટનું માનવું છે કે આ દેવી બધાનું રક્ષણ કરશે.અને પૂજાનું ફળ તમામને ચોક્કસ મળશે.ગુરુજીએ સપનામાં આવીને અમને આ કામ કરવા કહ્યું.હતું આથી કોરોના દેવીની સ્થાપના કરી છે. અહીં મંગળવારે મૂર્તિની સ્થાપના થઇ અને બુધવારથી પૂજા કરવાનું શરુ કરવામાં આવી છે.તમિલનાડુમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો 16,99,225ને પહોંચી ગયો છે.રાજ્યમાં 18,734 લોકોએ કોરોનમાં જીવ ગુમાવ્યો છે.
કોઈમ્બતુરમાં કોરોના દેવી’ની સ્થાપના: કોરોનાનો ખોફ કે અંધશ્રદ્ધા ?
Read Time:1 Minute, 23 Second