સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ચીતરીયા બેઠક પરથી ભાજપની મજબૂત ઉમેદવાર અને જાણીતી મહિલા આગેવાન લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું અચાનક અવસાન થતા ચૂંટણી પ્રક્રિયા પર અસર પડી છે. ઉમેદવારના નિધનને કારણે આ બેઠકની ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અચાનક બિમારી બાદ નિધન
મળતી માહિતી મુજબ, 15 એપ્રિલ 2026ની સાંજે લીનાબેન નિનામાની તબિયત અચાનક બગડી હતી. ગંભીર સ્થિતિને કારણે તેમને તરત જ ભિલોડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેઓ વિસ્તારમાં પ્રભાવશાળી મહિલા નેતા હતા અને ભાજપે તેમને ચીતરીયા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા.
ચૂંટણી પર પડશે અસર
આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જોકે ઉમેદવારના અવસાનને કારણે ચીતરીયા બેઠક પર મતદાન મોકૂફ રાખવાનો નિર્ણય લેવાઈ શકે છે.
ચૂંટણીનો કાર્યક્રમ
- મતદાન: 26 એપ્રિલ, 2026
- મતગણતરી: 28 એપ્રિલ, 2026














Leave a Reply