શ્રી વિષ્ણુ દેવના આશીર્વાદથી શ્રી હરિ પરિવાર સેવા સંસ્થાન (ગુજરાત) તથા શાયોના ફેર મોન્ટ સોસાયટીના સહયોગથી અમદાવાદ ખાતે તારીખ 06/06/2026 શનિવારના રોજ રાત્રે નવું જય ખોડલ રામામંડળ દ્વારા ત્રંબોડા નો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી હરિ પરિવાર સેવા સંસ્થાન ( ગુજરાત) ના સ્થાપક- પ્રમુખ શ્રી ચંદ્રવદન ધ્રુવ દ્વારા પ્રસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ રાતના 8:00 વાગે શરૂ કરવામાં આવ્યો જે સવારના 6 વાગ્યા સુધી ચાલ્યો હતો તેમ છતાં કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી હરિ પરિવાર સંસ્થા દ્વારા શાયોના ફેર મોન્ટ સોસાયટીને તથા રામામંડળ ત્રંબોડાને ભગવાન શ્રી વિષ્ણુ દેવના 10 અવતારવાળી એક તસવીર ભેટ આપવામાં આવી હતી.
Leave a Reply