કોઈપણ વ્યક્તિની કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યારે અથવા સાજા થયા બાદ ૪૦થી વધુની ઉંમરના દર્દીઓમાં મ્યુકરમાયકોસિસના જીવલેણ રોગનું જોખમ વધી ગયું છે. આ પેટા બીમારી તરીકે ઉમેરાઈ છે.ડાયાબિટીસ, કેન્સર, કિડની અને કોરોનાના દર્દીને વધુ પડતા સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવાથી મ્યુકરમાયકોસિસનું જોખમ જોવા મળે છે.આ સિવાય ઓક્સિજનના સાધનો જેવા કે, ઓક્સિજન માસ્ક, હ્યુમિડિટીફાયરને યોગ્ય રીતે સ્ટેરીલાઇઝ ન કરાયા હોય તો પણ દર્દીને નાક દ્વારા આ મ્યુકરમાયકોસિસ ફુગ દર્દીને શરીરમાં પ્રવેશે છે અને આંખ, નાક, મગજ અને ફેફસાંમાં ફેલાય છે. ઘરે રહીને પણ સારવાર લઇ રહેલાં દર્દીઓને અપાતા ઓક્સિજનના સાધનો રિ-યુઝ ન કરતાં નવા ખરીદવા તેમજ નિયમિત સ્ટેરીલાઇઝ કરવા ખૂબ જરૂરી છે.હાલમાં આ રોગથી મૃત્યુદર 50% થી વદારે જોવા મળી રહ્યો છે. પ્રારંભિક કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર શરુ કરાવવી એ એક માત્ર ઉપાય છે.