0
0
Read Time:1 Minute, 14 Second
અમોને મળેલ જાણકારી મુજબ જૂનાગઢના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પર અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો છે॰વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. આ હુમલામાં એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છેજ્યારે અન્ય બે લોકોને પથ્થરમારામાં સામાની ઇજા પહોંચી છે.હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સૂત્રોની જાણકારી મુજબ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો. ગુજરાતની સ્થિતિ બહુ કથળી ગઈ છે. ગુજરાત બીજું બિહાર બની ગયું છે તેવા આક્ષેપ આમ આદમીના નેતા દ્વારા કરવામાં આવ્યા છે.