અમદાવાદના ગોતા વિસ્તારના રહેવાશી રાજેન્દ્રભાઈ રસીકભાઈ પટેલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક ગંભીર ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે,ઓસ્ટ્રેલિયાના બનાવટી વર્ક પરમિટ અને વિઝિટર પકડાવી દઈને રૂ.23 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન, રાજેન્દ્રભાઈ સોલા સિવિલ ખાતે ઈલેક્ટ્રિકનું કામકાજ કરતા સમયે શ્યામલ ચાર રસ્તા પાસે, અસીમા ઓવરસિઝ નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવતા વિજય મહેન્દ્રરાય દવે, અર્જુન વિજયભાઈ દવે, જય વિરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાથે ઓળખાણ થઈ. આ વ્યક્તિઓ દ્વારા રાજેન્દ્રભાઈ અને તેમના પરિવારના સભ્યોને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ અને વિઝીટર વિઝા અપાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે, તેમને અને તેમના કુટુંબના સભ્યોને આનંદનગર સ્થિત ઓફિસમાં બોલાવીને કુલ ૨૩ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.આ રકમના બદલામાં વિઝા અને ટિકિટો અપાઈ જશે અને તેઓ ઓસ્ટ્રેલિયા જઈ શકશે. જોકે, સમયાંતરે વિવિધ બહાનાઓ બનાવવામાં આવ્યા અને ક્યારેય કોઈને પણ વિઝા અથવા મુસાફરી માટેની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી. આ પરિસ્થિતિ સામે આવતા, રાજેન્દ્રભાઈએ પોતાની ચુકવણી પરત ન મળતા, પોલીસમાં ઓવરસિઝ નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવતા વિજય મહેન્દ્રરાય દવે, અર્જુન વિજયભાઈ દવે, જય વિરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અને વાચિકા ચિરાગભાઈ સેલત- મહિલા અજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રાજેન્દ્રભાઈ, તેમના પત્ની અને પુત્રીને આપવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના વિઝા સંપૂર્ણપણે નકલી હતા.એનો અર્થ એ થયો કે, આરોપીઓએ જાણબુજીને ૨૩ લાખ રૂપિયા પડાવી લઈ નકલી વિઝા આપી છેતરપિંડી કરવામાં આવી છે.આ છેતરપિંડીને ધ્યાનમાં લઈને, આનંદનગર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.જેમની સામે ફરિયાદ થઈ છે તેઓ અગાઉ કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કેમ તેની વિગતો ભેગી કરી રહી છે.
Leave a Reply