Yes TV

News Website

યુદ્ધની અસરોનો સામનો કરવા માટે સરકારે 7 ઉચ્ચસ્તરીય જૂથો બનાવ્યાં

યુદ્ધની અસરોનો સામનો કરવા માટે સરકારે 7 ઉચ્ચસ્તરીય જૂથો બનાવ્યાં
Views 22

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની લાંબા ગાળાની અસરને ધ્યાનમાં રાખીને સાત ઉચ્ચસ્તરીય જૂથોની રચનાની જાહેરાત કરી અને રાજ્યોને ‘ટીમ ઇન્ડિયા’ના અભિગમ સાથે કેન્દ્ર સાથે મળીને કામ કરવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે આ જૂથો બળતણ, ગેસ, ખાતર, સપ્લાય ચેઇન અને વધતા મોંઘવારી જેવા મુદ્દાઓ માટે વ્યૂહરચના તૈયાર કરશે.

રાજ્યસભામાં આપેલા નિવેદનમાં મોદીએ શાંતિ સ્થાપવા માટે સંવાદ અને રાજદ્વારી પ્રયત્નોનું મહત્વ દર્શાવ્યું અને જણાવ્યું કે ભારત ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સહિત તમામ સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં છે. તેમણે સ્વીકાર્યું કે યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર જેવા જરૂરી સ્ત્રોતોના પુરવઠામાં ભારતને ગંભીર પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂકતા નાગરિકોને તમામ સંભવિત પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા કહ્યું.

સરકાર આ કટોકટીનો સામનો કરવા ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. આ માટે આંતર-મંત્રાલય ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે, જે આયાત-નિકાસ સંબંધિત સમસ્યાઓનું મૂલ્યાંકન કરીને ઉકેલો શોધશે. કોરોના મહામારી દરમિયાન જેમ નિષ્ણાતોના જૂથો બનાવાયા હતા, તેવી જ રીતે હવે આ નવા સાત જૂથો રચાયા છે.

આ વચ્ચે, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાજર રહેશે. જોકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળમાં અન્ય કાર્યક્રમ હોવાને કારણે હાજર રહી શકશે નહીં.

મોદીના ભાષણમાં કોરોનાનો ઉલ્લેખ કરવા અંગે રાહુલ ગાંધીએ ટીકા કરતા જણાવ્યું કે તે અપ્રસ્તુત છે અને સરકારનું સ્પષ્ટ વલણ દેખાતું નથી. તેમણે કહ્યું કે આથી લોકોમાં ગેરસમજ ફેલાઈ શકે છે. સાથે જ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ નિવેદનને ભ્રમજનક ગણાવી સરકારને ઉર્જા પુરવઠા, વિદેશ નીતિ અને ભારતીય જહાજોની સુરક્ષા અંગે સવાલો પૂછ્યા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *