ગુજરાતના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આજે ‘સોમનાથ અમૃતપર્વ-2026’ની ભવ્ય ઉજવણી વચ્ચે વડાપ્રધાન Narendra Modiએ હાજરી આપી હતી. ગુજરાત પ્રવાસના બીજા અને મહત્વપૂર્ણ દિવસે પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી, કુંભાભિષેક વિધિમાં ભાગ લીધો અને દેશને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપ્યો હતો.
PM MODI IN SOMNATH LIVE UPDATES
“અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું” : પીએમ મોદી
સોમનાથ અમૃતપર્વ સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,
“હું આજે માત્ર 75 વર્ષનો ઈતિહાસ નથી જોઈ રહ્યો, પરંતુ વિનાશ વચ્ચે સર્જનની શક્તિ જોઈ રહ્યો છું. અહીં હું અસત્ય પર સત્યનો વિજય અનુભવું છું. સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની અવિનાશી આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે, જેને સદીઓના આક્રમણો પણ મિટાવી શક્યા નથી.”
“જય સોમનાથ”ના નાદથી ગુંજ્યું સમગ્ર પરિસર
સોમનાથ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર, શિવપંચાક્ષરીના પાઠ, સંગીત-નૃત્ય અને સમુદ્રના મોજાંઓ વચ્ચે એક ભવ્ય આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. પીએમ મોદીએ ભાવુક સંબોધનમાં જણાવ્યું કે,
“આજે એવું લાગી રહ્યું છે કે જાણે સમગ્ર બ્રહ્માંડ એકસ્વરે ‘જય સોમનાથ’નો નાદ કરી રહ્યું હોય.”
75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન મોદીએ ખાસ 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો હતો.
આ સિક્કો 99.9 ટકા શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવશે. તેનું વજન 40 ગ્રામ અને વ્યાસ 44 મિ.મી. રહેશે. સિક્કાની આગળની બાજુએ અશોક સ્તંભ અને ‘સત્યમેવ જયતે’ લખાણ હશે, જ્યારે પાછળની બાજુએ સોમનાથ મંદિરની ભવ્ય આકૃતિ દર્શાવવામાં આવશે.
કુંભાભિષેક અને ધ્વજારોહણ વિધિ સંપન્ન
વડાપ્રધાન મોદીના હસ્તે 11 પવિત્ર તીર્થોના જળથી સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિર પરિસરમાં ધ્વજારોહણની વિધિ પણ ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણ થઈ હતી.
શિવલિંગને જળ અર્પણ
વિશેષ પૂજા દરમિયાન પીએમ મોદીએ સોમનાથ મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરીને દેશના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
સોમનાથ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ રોડ-શો પૂર્ણ કરીને Sardar Vallabhbhai Patelની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સોમનાથના પુનઃનિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
ભવ્ય રોડ-શો અને એર-શો
સોમનાથ હેલિપેડથી મંદિર સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ભારતીય વાયુસેનાના ‘સૂર્યકિરણ’ એર-શોએ પણ આકાશમાં દિલધડક કરતબો રજૂ કર્યા હતા.
વડોદરામાં ‘બંગાળ થીમ’ પર સ્વાગતની તૈયારી
સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી હવે Vadodara જશે. પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી જીત બાદ પ્રથમ વખત ગુજરાત આગમનને લઈને વડોદરામાં વિશેષ ‘બંગાળ થીમ’ આધારિત સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. અહીં પીએમ મોદી ‘સરદારધામ-3’નું લોકાર્પણ પણ કરશે અને વિશાળ જનસભાને સંબોધશે.
ભગવાન સોમનાથના આશીર્વાદ, આધ્યાત્મિક સંદેશ અને વિકાસકાર્યોના લોકાર્પણ સાથે વડાપ્રધાન મોદીનો આ ગુજરાત પ્રવાસ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.












Leave a Reply