બોલિવૂડના દિગ્ગજઅભિનેતા દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં 30 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે દિલીપ કુમારના નિધનના સમાચાર તેમના જ ટ્વિટર હેન્ડલથી ફૈઝલ ફારુખીએ(દિલીપ કુમારના મિત્ર) આપ્યા હતા.