Yes TV

News Website

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી
Views 32

Narendra Modiએ શુક્રવારે નવી દિલ્હીમાં નવા વહીવટી પરિસર સેવા તીર્થ તેમજ કર્તવ્ય પથ-૧ અને ૨નું લોકાર્પણ કર્યું. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે વિજયા એકાદશીનો શુભ દિવસ દેશના વિકાસપ્રવાસમાં નવી દિશાની શરૂઆતનો સાક્ષી બની રહ્યો છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે આજે સેવા તીર્થ અને કર્તવ્ય ભવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું. પ્રથમ જ દિવસે વડાપ્રધાને નાગરિકો, મહિલાઓ, ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા.

સેવા તીર્થના ઉદ્ઘાટન સાથે જ વડાપ્રધાન કાર્યાલય (PMO) ત્યાં સ્થાનાંતરિત થઈ ગયું છે. આશરે રૂ. ૧૧૮૯ કરોડના ખર્ચે બનેલા આ પરિસરમાં વડાપ્રધાનની ઓફિસ સેવા તીર્થમાં, કેબિનેટ સચિવાલય કર્તવ્ય પથ-૧માં અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય કર્તવ્ય પથ-૨માં કાર્યરત રહેશે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વતંત્રતા પછી નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઇમારતોમાંથી દેશના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. પરંતુ આ ઇમારતો બ્રિટિશ શાસનની માનસિકતા અને પ્રતીકો સાથે જોડાયેલી હતી. લગભગ ૧૨૫ વર્ષ જૂની આ ઇમારતો હવે આધુનિક તકનીકી જરૂરિયાતોને અનુરૂપ રહી નહોતી.

તેમણે ઉમેર્યું કે દાયકાઓથી કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયો દિલ્હીના ૫૦થી વધુ અલગ-અલગ સ્થળોથી સંચાલિત થતા હતા, જેના કારણે દર વર્ષે ભાડા રૂપે રૂ. ૧,૫૦૦ કરોડથી વધુનો ખર્ચ થતો. રોજિંદા ૮થી ૧૦ હજાર કર્મચારીઓના અવરજવર ખર્ચ અને સમયનો બોજો પણ વધતો. નવા સંકલિત પરિસરથી આ તમામ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.

વડાપ્રધાને જણાવ્યું કે રાયસીના હિલ્સ પર બનેલી ઇમારતો બ્રિટિશ શાસનની વિચારસરણીનું પ્રતિબિંબ હતી, જ્યારે સેવા તીર્થ અને કર્તવ્ય ભવન ભારતની જનતા અને તેમની આશાઓને કેન્દ્રમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યા છે. વિકસિત ભારતની કલ્પના હવે માત્ર નીતિઓમાં જ નહીં, પરંતુ કાર્યસ્થળો અને આધુનિક ઢાંચામાં પણ સ્પષ્ટ જોવા મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *