NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી Dharmendra Pradhanની અમદાવાદ મુલાકાત દરમિયાન વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા. National Students’ Union of India (NSUI) દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી આપવામાં આવતા શિક્ષણમંત્રીની મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી હતી. તેમ છતાં કાર્યકરો મંત્રીના કાફલા સુધી પહોંચી ગયા હતા, જ્યાં પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
મહત્વનું છે કે કેન્દ્રીય શિક્ષણમંત્રીના કાર્યક્રમોની વિગતો સામાન્ય રીતે અગાઉથી જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે કાર્યક્રમને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. તેમ છતાં જ્યારે શિક્ષણમંત્રીનો કાફલો Indian Institute of Management Ahmedabadના ગેટ બહાર નીકળ્યો ત્યારે NSUIના કાર્યકરો કાળા વાવટા અને કાળા કપડાં સાથે વિરોધ કરવા દોડી આવ્યા હતા. કાર્યકરોએ ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
શિક્ષણમંત્રીના રાજીનામાની માગ
ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા NEET પેપર લીક મામલે કેન્દ્ર સરકાર અને શિક્ષણમંત્રી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. NSUIના કાર્યકરોનું કહેવું છે કે પરીક્ષામાં થયેલી ગેરરીતિની નૈતિક જવાબદારી સ્વીકારી શિક્ષણમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
અત્યાર સુધી 7 લોકોની ધરપકડ
NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસના તાર Rajasthanથી લઈને Nashik અને Gurugram સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં અમલમાં મૂકેલા નવા કાયદા હેઠળ આ કેસમાં કાર્યવાહી ચાલી રહી છે. આ કાયદા મુજબ પેપર લીક કરનારાઓને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. NEET UG-2026 માટે અંદાજે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેના કારણે આ પરીક્ષા વિશ્વની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે.













Leave a Reply