રાજ્યના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રમાં વ્યાપક બદલાવ લાવતા મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. રાજ્યભરમાં 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે. સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર (વર્ગ-2) તરીકે બઢતી આપીને નવી જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સંબંધિત સત્તાવાર પરિપત્ર ગાંધીનગર સ્થિત સચિવાલયમાંથી બહાર પાડવામાં આવ્યો છે.
આ નિર્ણય હેઠળ દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર અને અમદાવાદ જેવા અગત્યના જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોની બદલીનો સમાવેશ થાય છે. બીજી તરફ, લાંબા સમયથી સેવા આપતા 165 નાયબ મામલતદારોને પ્રોત્સાહન રૂપે બઢતી આપી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
બઢતી પામેલા અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચૂંટણી કામગીરી સહિતની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે. રાજ્ય સરકારનો આ પગલું વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સુશાસનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.














Leave a Reply