શહેરના નારાયણપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ કારંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે લાલદરવાજા ખાતે આવેલી Bhadra Kali Templeમાં નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા તેમની જેઠાણી સાથે માતાના દર્શન કરવા માટે મંદિરે પહોંચી હતી.
બપોરના સમયે ભારે ભીડ વચ્ચે બંને મહિલાઓ Bahuchar Mata Temple નજીક ઉભી હતી. તે દરમિયાન અજાણી વ્યક્તિએ ભીડનો લાભ લઈ મહિલાના ગળામાંથી અંદાજે રૂ. 1.35 લાખ કિંમતની સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો.
આ બનાવ અંગે કારંજ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે રથયાત્રાની જેમ આ નગરયાત્રામાં પણ ભારે ભીડનો લાભ લઈ ખિસ્સાકાતરો અને ચોર ટોળકીઓ સક્રિય થઈ હતી. કેટલાક લોકોના મોબાઈલ અને પર્સની પણ ચોરી થયાની ઘટનાઓ સામે આવી છે. જોકે, અનેક કિસ્સાઓમાં પોલીસે અરજી લઈને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.














Leave a Reply