
ગત ૧૨ જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. જેબાદ યુદ્ધના ધોરણે DNA સેમ્પલિંગ અને મેચિંગની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આ અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યંક કે, અત્યાર સુધીમાં ૧૩૫ ડીએનએ મેચ થઈ ગયા છે. અને ૧૦૧ પાર્થિવ દેહ પરિવારોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું કે, આજે ૧૭ જૂન, ૧૦:૪૫ સુધીમાં ૧૩૫ ડીએનએ મેચ થઈ ગયા છે અને ૧૦૧ પાર્થિવ દેહ પરિવારોને સોંપવામાં આવ્યા છે. વધુમાં ૧૨ પરિવારજનો અહીંથી આજે થોડા જ કલાકોમાં મૃતદેહ લઈ જશે. બીજે મેડિકલ કોલેજના ૪ વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં એક તબીબ સુરતના છે જે તેમની બહેનને મળવા આવ્યા હતા. ડૉ. રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું કે, અમારી ટીમ માટે ડીએનએ ટેસ્ટ કરવો મોટો પડકાર છે. શરીરના અંગો જોવા અઘરા છે પણ ટીમ મહેનત કરી રહી છે. ડીએનએ સેમ્પલ મેચિંગ અને પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલા હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. જેમ જેમ પરિણામો આવતા જશે તેમ તેમ પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછા સમય લેશે.
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલુ છે, કસોટી ભવનમાં DNA સેમ્પલની વ્યવસ્થા રાખી છે. પરિવારજનો પાર્થિવદેહ સ્વીકારવા આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેમને જરૂરી પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા માટે કરવામાં આવેલ વિવિધ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
