
બ્રહ્માકુમારી નંદિનીબેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” પર સંશોધન કરી પીએચ.ડી. (ડોક્ટર ઑફ ફિલોસોફી)ની મેળવી પદવી ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બનવાનું જે સૌભગ્ય પ્રાપ્ત કર્યુ છે તે સમગ્ર ભારતના ગૌરવ સમાન ગણાય.પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અમદાવાદ સ્થિત ઝોનલ મુખ્યાલય સુખ શાંતિ ભવનના બ્રહ્માકુમારી નંદિનીબહેને તાજેતરમાં જ પત્રકારત્વમાં પીએચ.ડી. પૂર્ણ કરી (ડોક્ટર ઓફ ફિલોસોફી) ની ડિગ્રી મેળવી છે.બ્રહ્માકુમારી નંદિનીબહેન અભ્યાસમાં શરૂઆતથી જ ખૂબ તેજસ્વી વિદ્યાર્થીની રહ્યા. પત્રકારત્વના સ્નાતક અભ્યાસક્રમમાં તેઓ વર્ધમાન મહાવીર વિશ્વવિદ્યાલયમાં પ્રથમ ક્રમાંક ઉપર રહી ગોલ્ડ મેડલ મેળવ્યો. તથા પત્રકારત્વના અનુસ્નાતક (માસ્ટર ડિગ્રી) અભ્યાસક્રમમાં યુનિવર્સિટીમાં તેઓ દ્વિતીય ક્રમાંક પણ મેળવેલ છે. M.Sc મૂલ્ય શિક્ષાના અનુસ્નાતક કક્ષાએ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે રહ્યા.
બ્રહ્માકુમારી નંદિનીબહેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજમાં મૂલ્યોનું સંવર્ધન: એક અધ્યયન” વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરી એક થીસીસ તૈયાર કરી છે. અમદાવાદ સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગમાંથી ૭૧.૫% ગુણ સાથે ભારતમાં આ એક નવી શોધ કરેલ છે.રાષ્ટ્રીય ભાષામાં “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક, ખૂબ જ ચોકસાઈ સાથે, ખૂબ જ વિગતવાર અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને. ડૉ. નંદિની બહેનને ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે જેના તેઓ ખરેખર હક્કદાર છે.


