

માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં બા નું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટને રાહતદરે આરોગ્ય સેવાઓનું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, સાંસદ (રાજ્યસભા) રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન shah, કોર્પોરેટર અને ચેરમેન શ્રી ચેતનભાઈ સુરેજા, પ્રદેશ કારોબારી સભ્ય અને જસદણ પ્રભારી દિનેશભાઈ અમૃતીયા, દર્શનાબેન પંડ્યા, નિલાબેન જાદવ, ઉધોગપતિઓ બાલાજી વેફર્સના માલિક કેયુરભાઈ વિરાણી, વલ્લભભાઈ કટારિયા, રિમલભાઈ કટરિયા, જીતુભાઈ બેલાણી, રાકેશભાઈ પરસાણા, મિતુલભાઇ દોગા, કાંતિભાઈ મકડીયા, શિવાલાલભાઈ આદ્રોજા, સુરેશભાઈ ભિલા, જીવનભાઈ ગોવાણી, અને
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ નાં મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, ડિ. સી. પટેલ, સંજય ખીરસરિયા, મનિષભાઈ ડેડકિયા, કિરીટભાઈ, ડેડકીયા, કિશનભાઈ કાકડીયા, નરેન્દ્રભાઈ રાંકજા, ગોવિંદભાઈ રાંકજા, અજય કલોલા, કાન્તાબેન ફલદુ, જગદીશભાઈ કાસુન્દ્રા, ભુપતભાઈ ભણાવડીયા, અલ્પેશભાઈ સેજાણી, ડો. કિર્તીભાઈ પટેલ, મનીષભાઈ વડારીયા, હસમુખભાઇ કાલરીયા, ખંજનભાઈ દલસાણીયા, ડો. વી.એન. પટેલ, કિશન કાકડીયા
શ્રી મનસુખભાઈ કમાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ
સંચાલિત “બા નું ઘર” વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા તાજેતરમાં તમામ જ્ઞાતિના લોકો માટે આશાના કિરણ સમાન એક રાહતદરનો મેડીકલ સ્ટોર, રાહતદરની લેબોરેટરી, અને સહતદરનું દવાખાનું ચાલુ કર્યું જેમાં નિસધારો અને જરૂરીયાતમંદને મળશે ફ્રી માં દવાખાનાની સેવાઓ, દવાઓ, અમ્બુલન્સ, ICU એમ્બુલન્સ સવાઓ અને લેબોરેટરીની તપાસ સાથે આશ્રય
રાજકોટ : રાજકોટ ખાતે સૌને પરવડે તેવા દરે શતદરનો મેડીકલ સ્ટોર, (જેમાં આશરે ૦5 % થી 95 % જેટલી રાહત) રાહતદરની લેબોરેટરી, અને દવાખાનું જે સૌને પરવડે તેવા દરે દવાઓ મળશે અને ફક્ત દશ રૂપિયાના ટોકનદરે અનુસવી MBBS ડો. દ્વારા દવાખાનામા નિદાન કરી આપવામાં આવશે, તેમજ ખુબજ રાહતદરે લેબોરેટરીની તપારા, ફક્ત દસ રૂપિયામાં બ્લડ સુગરની તપાસ તેમજ ખુબજ ઓછા દરે બ્લડ, યુરીન, કફ, ઇસીજી, એલ-રે સહિતના રીપોટર્સ જેમાં સી.બી.સી, બાયોપ્સી લિપિડ પ્રોફાઈલ કિડની ફન્કશન સહિતના ટેસ્ટ પણ સાવ રાસ્તદરે થશે.
આરોગ્ય બાબતે અપાતી સેવા એ સર્વોત્તમ સેવા છે અને એ પણ “ની પ્રોફિટ નો લોસ” નાં ધોરણે સેવાભાવી સંસ્થા દ્વારા સેવા સાથે સામાજીક વિકાસ કરવા પ્રયત્ન કરાશે, આ માટે સંસ્થાએ કાલાવાડ રોડ પર, ક્રિસ્ટલ મોલ સામે, રાણી ટાવરમાં પ્રથમ માળે, રાહતદરનો ‘માનવ મેડીકલ સ્ટોર’, રાહતદરની ‘લેબોરેટરી’, અને રાહતદરનું ‘દવાખાનું’ ચાલુ કર્યું છે.
આ “બા નું ઘર વૃદ્ધાશ્રમ” સાવ નિરાધારો, બહેરા-મૂંગા, ગાંડા, બિન વારણું, ઘર વિહોણા, આધાર વિનાના લોકોને સાવ ફી માં રહેવા, જમવા, દવાઓ સાથે આશ્રય આપે છે આપના ધ્યાનમાં આવી વ્યક્તિઓ હોઈ તો ધ્યાન દોરજો, આ સંસ્થાની મુલાકાત લઇ આપને યોગ્ય લાગેતો મદદ કરજો સંસ્થાને મકાન માટે દાનની જરૂર છે સીએસઆર ફંડ સ્વીકાર્ય છે. સંસ્થાને અપાતું દાન કરમુક્ત છે. સજજનોને દાન આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.
અત્યારે આ મોંઘવારીના યુગમાં તમામ લોકોને જરૂરી દવાઓ ખુબજ સહતદરે મળે અને બધી લેબોરેટરી તપાસ પણ સાવ વ્યાજબી ભાવે, કમીશન વગર થઈ સકે અને ફક્ત દસ રૂપિયામાં દવાખાનાની સેવાઓ ઉપલબ્ધ થાય તે આશય સાથે આ સેવાઓ ચાલુ કરવામાં આવી છે, જેમાં તમામ જ્ઞાતિઓનાં લોકો માટે કોઈપણ ભેદભાવ વગર ચલાવવામાં આવે છે. આ સેવામાં જોડાઈ આપ સેવા આપવા, દાન આપવા અને સભ્ય બનવા માંગતા હોઈ તો સંસ્થાનો સંપર્ક કરે, આ માનવ આરોગ્ય સેવા સુવિધા રાજકોટ મધ્યે રાણી ટાવર કાલાવાડ રોડ પર છે, વધુ વિગત માટે વધુ વિગત માટે સંસ્થાના મુકેશભાઈ મેરજા, (મો. ૯૪૨૬૭૨૭૩૭૩) ગીતાબેન પટેલ, (મો. ૯૪૨૯૧૬૬૭૬૬) ડી.સી.પટેલ, નરેન્દ્રભાઈ રાંકજા, સંજય ખીરસરીયા, માનીશભાઈ ડેડકિયા, દિનેશભાઈ અમૃતિયા, કે વિભાબેન મેરજાનો સંપર્ક કરવો.