
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવામાં સંચાલિત ઈલેક્ટ્રીક બસ શરૂ કરવામાં આવી છે જે દરે બસની કિમ્મત આશરે 1.25 કરોડની છે.રાજકોટમાં ગરમી 45 ડિગ્રી છે અને ગરમીનું કારણ આપીને બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના આવા નિર્ણયથો ગરમીમાં અનેક મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા હે.મહત્વની બાબત એ છે રાજકોટ શહેરમાં શહેરમાં જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ચલાવવામાં આવતી ઈલેક્ટ્રીક 21 બસો ચાલી રહી છે.રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા આ બસો રૂપિયા 40 લાખમાં ખરીદવામાં આવી છે અને તે ચાલુ હાલતમાં છે જ્યારે મહાનગર્પાલિકની બસો બંધ હાલતમાં છે. આ ખુબજ ગંભીર અને તપાસ યોગ્ય મુદ્દો ગણાય. રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી પીએમઆઇ સાથે આ અંગે ટેકનિકલ ક્ષતિઓ સુધારવા અંગે ચર્ચા કરી છે તેવો લુલોં બચાવ મહાનગરપાલિકાના સત્તાધીશોએ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક સરખા સિદ્ધાંત અને ટેકનોલોજીની મદદથી ચાલતી બસોમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બંધ કરાય અને એસટી તંત્ર દ્વારા ચાલુ રખાય ત્યારે મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરાયેલ એજન્સી શંકાના દાયરામાં છે બસો બંધ કરવી પડે એ એજન્સીની ખામી દર્શાવે છે આ અંગે મુસાફરોને પડેલ તકલીફ બદલ એજન્સીને પેનલટી થવી જોઈએ અને જે બસો બંધ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી જે કંઈ ખામી હોય તે સુધારી મુસાફરો હિતમાં તાત્કાલિક શરૂ કરવા કરવાની માંગ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનેરને કરવામાં આવી છે. કરવામાં આવી છે.

