
માનવ અિધકાર સૌરક્ષણ અિધિનયમ, ૧૯૯૩ ની કલમ ૨(૧)(ઘ) માં વ્યાખ્યા કર્યા મુજબ “માનવ અિધકાર” એટલે સંવિધાનથી બાંયધરી આપેલ અથવા આંતરરાષ્ટ્રીય કરારનામાઓમાં સમાવેલા અને ભારતમાં ન્યાયાલય અમલમાં મૂકી શકે તેવા વ્યક્તિઓના જીવન,સ્વતંત્રતા ,સમાનતા અને ગૈારવને લગતા અધિકારો” સામાન્ય રીતે જયારે કામના સ્થળે કોઈ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે તેવા કિસ્સા માનવ અધિકાર આયોગના કાર્યક્ષેત્રમાં આવે છે.આવા કિસ્સામાં પ્રથમ જવાબદારી માલિક /સંચાલકની બને છે.આ ઘટના આકસ્મિક બની છે કે સંચાલકની બેદરકારીના કારણે બની છે તેની તપાસ કરવાની અને ત્યાર બાદ કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી સ્થાનીક પોલીસ અધિકારીની બને છે.ઘણા કિસ્સામાં માલિકો રાજકીય કે આર્થિક તાકાતવર હોવાથી આવા મામલા દબાવી દેવામાં સફળ રહેતા હોય છે.ઘણા કિસ્સામાં તપાસ અધિકારી દ્વારા માલિકો પાસે મોટી સોદાબાજી કરીને ભોગ બનનાર પરિવારના અધિકારોને દબાવી દેવામાં આવતા હોય છે.જયારે ઘણા કિસ્સામાં માલિકો અને તપાસ એજન્સી દ્વારા મામલો દબાવી દેવાનો પ્રયાસ સામાજિક કાર્યકર્તા/જાગૃત નાગરિક/ વ્હીસલ બ્લોવર ઊંધો પડી દેતા હોય છે અને વ્યવસ્થા તંત્રને ન્યાયિક કાર્યવાહી કરવા ફરજ પડતા હોય છે.આવા સંજોગોમાં જો વ્યવસ્થા તંત્ર દ્વારા જાગૃત નાગરિકના અવાજને પણ દબાવવામાં આવતો હોય તો કોઈ સોદાબાજી થઈ હશે તેવું માનવામાં કોઈ અતિશયોક્તિ ગણાય નહિ.કોઈ અકસ્માતના ગુનામાં સ્થાનિક પોલીસ.ઉપરી અમલદારો અને કલેકટર કચેરી દ્વારા પણ તપાસમાં આંખ મીચામણા થતા હોય તેવા સંજોગોમાં માનવ અધિકાર આયોગની ભૂમિકા ખુબજ મહત્વપૂર્ણ ગણાય.સૌથી આશ્ચર્યની વાત છે કે જયારે વ્યવસ્થા તંત્ર માનવ અધિકારની પણ અવગણના કરે અથવા તેના સૂચનોને ઘોળી ને પી જાય ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આ અધિકારી કેમ આટલા માથાભારે બની ગયા છે ? અંગત સ્વાર્થ ખાતર શું તેઓ ગમે તેવી મનમાની કરી શકે? તપાસ એજન્સીના અમલદારો શું કાયદાની મર્યાદામાં રહીને ફરજ બજાવવા બંધાયેલા નથી?એક નાગરિકને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સુધી ફરિયાદ કરવા જવું પડે તે તેમના માટે શરમજનક ના ગણાય? જો કાયદાનું પાલન કરનારા આવું વર્તન કરશે તો નાગરિકોના જીવન અને અધિકારોની રક્ષા કોણ કરશે.તાજેતરમાં ભુજ ગાંધીધામ ખાતે બનેલઃદુર્ઘટનામાં 5 કામદારોના મોતના મામલામાં યોગ્ય તપાસ નહિ કરવાના અને સૂચનાનું પાલન નહિ કરવાના કિસ્સામાં કલેકટર અને ડીએસપી કચ્છને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા શરતી સમન્સ પાઠવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જે દર્શાવે છે કે બ્યૂરોક્રેટ્સન રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પણ ગાંઠતા નથી?
ઘટના એવી છે કે ગાંધીધામના કંડલા ઝોન માં આવેલી ઈમામી એગ્રો કંપનીમાં ગત ઓક્ટોબર 2024 વેસ્ટ પ્રવાહીના ટાંકાની સફાઈ કરવા જતા ગુંગણામણથી સુપરવાઈઝર સહીત 5 કામદારોના મોત થયા હતા.આ મામલામાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહિ કરતા આદિપુરના જાગૃત નાગરિક અને સિંધી સમાજમાં ખુબ જ પ્રતિષ્ઠા ધરાવતા વિનોદભાઈ ખુબચંદાની દ્વારા સમગ્ર મામલાની ન્યાયિક તાપસ થાય તેવા અભિગમથી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને લેખિતમાં સમગ્ર ઘટનાની અને પોલીસ દ્વારા કરવામાં આવેલ વ્યહવાર-વર્તન અંગેની જાણ કરી હતી.પ્રકરણની ગંભીરતા અને પ્રથમ દ્રષ્ટિએ તપાસ એજન્સીની નિષ્ક્રિયતા સામે આવતા આયોગ દ્વારા કલેકટર તથા ડીએસપીને નિશ્ચિત સમયમાં અહેવાલ રજુ કરવા નોટિસ પાઠવવામાં આવી હતી.જો કે આયોગ દ્વારા 2 વખત નોટિસ પાઠવવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નહિ થયા અંગેની એક વધુ ફરિયાદ વિનોદભાઈ દ્વારા આયોગ સમક્ષ કરવામાં આવતા તેની ગંભીર નોંધ લેવામાં આવી.રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા કલેકટર તથા ડીએસપીને શરતી સમન્સ પાઠવ્યો હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.આયોગે જવાબદાર અધિકારીને આગામી તા.19/06/2025 ના રોજ આયોગ સમક્ષ રૂબરૂ હાજર થવા જાણ કરેલ છે. જો આ તારીખ પહેલા અહેવાલ રજુ કરવામાં આવશે તો જવાબદાર અધિકારીને રૂબરૂ હાજર થવાથી મુક્તિ આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ કેસની આગામી સુનાવણી આયોગ સમક્ષ તા.26/06/2025 ના રોજ રાખવામાં આવી છે.



