સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતાં રાજનાથ જણાવ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આપણા પોતાના લોકો રહે છે. તેમાંના મોટાભાગના લોકોનું ભારત સાથે ઊંડુ જોડાણ છે. લાગણી છે. અમુક લોકો જ પાકિસ્તાન સાથે જવા માગે છે. અમને વિશ્વાસ છે, આપણા ભાઈઓ જેઓ આજે રાજકીય અને ભૌગોલિક દ્રષ્ટિએ આપણાથી અલગ છે. તેઓ પોતાના સ્વાભિમાન, આત્માના અવાજ અને સ્વેચ્છાએ ભારતની મુખ્ય ધારામાં પરત ફરશે. રાજનાથ સિંહે આગળ કહ્યું કે, ભારત હંમેશા દિલોને જોડવા મુદ્દે વાત કરે છે. તે પ્રેમ, એકતા, સત્યમાં માને છે. હવે એ દિવસ દૂર નથી, જ્યારે આપણો હિસ્સો POK પરત મેળવીશું.સંરક્ષણ મંત્રીએ આગળ દેશની સંરક્ષણ તાકાતને દર્શાવતાં કહ્યું કે,ઓપરેશન સિંદૂરમાં જોવા મળેલી આપણી સ્વદેશી સંરક્ષણ તાકાતથી વિશ્વ ચોંકી ઉઠ્યું છે.