0
0
Read Time:1 Minute, 6 Second
અમદાવાદમાં દર વર્ષની પરંપરા મુજબ આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાની રથયાત્રા નીકળી છે.કોરોના મહામારીના સમયમાં પણ રથયાત્રા કાઢવાની પરંપરા ના તૂટે અને સરકારની કોવિડ ગાઈડનું પણ પાલન થાય તે રીતે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. આ રથયાત્રા જે વિસ્તારમાંથી નીકળવાની છે ત્યાં આમતો કર્ફયુ અમલમાં છે પરંતુ રાજ્ય સરકારે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવી રથયાત્રાનું કાર્યક્રમનું આયોજન કરેલ છે.આ વર્ષે પ્રસાદ વેચવા પર પ્રતિબંધ હોવાથી જગન્નાથ મંદિરના મુખ્ય મહંત શ્રીદિલીપદાસજી પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કરતા નજરે પડ્યા છે. ભક્તોએ પણ પ્રસાદ તરીકે તેનો સહર્ષ સ્વીકાર પણ લીધેલ છે.આ વખતની રથયાત્રા ભક્તો વગર કાઢવામાં આવી છે જે હંમેશા યાદગાર બની રહેશે.