આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી.આપણા દેશ માટે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે તેને કદાપિ ભૂલી શકાય તેમ નથી.સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે..તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર,1875માં થયો હતોતેમના જન્મ દિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે મનાવવામાં આવે છે.સમગ્ર રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધનાર,ભારત રત્ન, લોહપુરુષ,અખંડ ભારતના નિર્માતા,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન