દેશમાં કોરોનાની બીજી લહેરમાં દિન પ્રતિદિન વળતા જતા કેસોના કારણે ખુબ જ ભયાનક પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉપસ્થિર થઈ છે. દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં બેફામ વધારો થતા હોસ્પિટલોમાં બેડ તથા ઓક્સિઝનની કમી જોવા મળી રહી છે. કોઈ પણ રસી 100 ટકા અસરકારક નથી. તમને ચેપ લાગી શકે છે.આ મામલે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.તેઓના કોરોના કેસોમાં ઉછાળા માટે ઘણા પરિબળો પૈકી 2 મુખ્ય કારણો જણાવેલ છે.પહેલું કે લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરવાનું બંધ કરી દીધું હતું અને બીજું કે વાયરસ હવે નવી લહેરમાં પરિવર્તિત થયો અને વધુ ઝડપથી ફેલાવા લાગ્યો છે.નિષ્ણાતો વારંવાર લોકોને કોરોના રસીનું મહત્વ જણાવી રહ્યાં છે.આ પરિસ્થિતિમાં રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે ‘આપણે યાદ રાખવું રહ્યું કે કોઈ પણ રસી 100 ટકા અસરકારક નથી. તમને ચેપ લાગી શકે છે. પરંતુ આપણા શરીરના એન્ટિ-વાયરસ આ આ કોરોના વાયરસને વધવા નહીં દે અને તમે ગંભીર રીતે બીમાર નહીં રહો.આરોગ્ય અને વિકાસના અર્થશાસ્ત્રી પ્રોફેસર અનૂપ મલાણીના મત મુજબ એ કોવિડ -19 રસી કોઈ વ્યક્તિને ચેપ લાગવાથી રોકી નહીં શકે, પરંતુ રોગને ઝડપથી મટાડવામાં અને તેની તીવ્રતા ઘટાડવામાં મદદ કરી શકે છે.