
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે સવારે કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ બનાવના સ્થળે યુનિવર્સિટિ રોડ પર ઇન્દિરા સર્કલ કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ડો. હેમાંગભાઇ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, દીપ્તિબેન સોલંકી, ગાયત્રીબા વાઘેલા, સંજયભાઈ અજુડીયા, કનકસિંહ જાડેજા, પ્રવીણભાઈ કાકડીયા, હરભમભાઈ મોઢવાડિયા, નવનીતભાઈ ચૌહાણ, નયનાબા જાડેજા, પ્રતિમાબેન વ્યાસ, કલ્પેશભાઈ કુંડલીયા, અશોકસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ સોલંકી, આદિત્યસિંહ ગોહિલ, હરપાલ સિંહ જાડેજા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, યુનુસભાઈ જુણેજા, સલીમભાઈ કારિયાણી, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદત્તભાઈ રાવલ, નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઊંધાડ, ડી.પી મકવાણા, હેમલ પેશીવાડીયા, દિનેશભાઈ માલકીયા, ચિંતનભાઈ દવે, ગેલાભાઈ મુછડીયા, અજીતભાઈ વાંક, ગૌરવભાઈ પુજારા, હબીબભાઇ કટારીયા, મહેન્દ્રસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, શાંતાબેન મકવાણા, મકસુદભાઈ ચાવડા, જગદીશભાઈ ડોડીયા, ગિરીશભાઈ પટેલ, નિલેશભાઈ મારુ, રમેશભાઈ તલાટીયા, નિલેશભાઈ વિરાણી, જગદીશભાઈ સખીયા, પ્રફુલાબેન ચૌહાણ, હિરલબેન રાઠોડ, કિંજલબેન જોશી, બિંદિયાબેન તન્ના, જયાબેન ટાક, જયાબેન ચૌહાણ, મેરૂનબેન કુરેશી, પુનમબેન રાજપૂત, કલાબેન રાઠોડ, જશુબેન વાંક, સરોજબેન રાઠોડ, વિજયાબેન, લક્ષ્મીબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

