“વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી સમગ્ર વિશ્વમાં તા.5 જૂન ના રોજ કરવામાં આવે છે.આ દિવસે સરકર તથા પર્યાવરણ પ્રેમીઓ,સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવા ઉપરાંત જુદા જુદા માધ્યમથી પર્યાવરણની સુરક્ષા કરવાનું અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે.”વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી નિમિતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિકનાઓનાં નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં ભાગ લઈ શ્રમદાન કરવામાં આવ્યુ.અમદાવાદ પોલીસ કમિશનરશ્રી સહિત શહેર પોલીસના ઊચ્ચ અધિકારીશ્રીઓ તથા વિવિધ પોલીસ સ્ટેશન અને શાખાઓમાંથી 1000 જેટલાં પોલીસ કર્મચારીઓએ સાબરમતી નદીનાં પશ્ર્ચિમ છેડે આવેલ સરદારબ્રિજ પાસેનાં વિસ્તારમાં સાબરમતી નદી સફાઈ અભિયાનમાં શહેર પોલીસ વતી ફાળો આપેલ છે.