0
0
Read Time:1 Minute, 9 Second
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય જણાવે છે કે કોઈપણ વ્યક્તિનું રસીકરણ થયું હોવા છતાં માસ્ક લગાવવું જરૂરી છે,કારણકે વેક્સિન કોરોના સામે લડવામાં મદદરૂપ થાય છે,પરંતું આ સંક્રમણથી સુરક્ષાની ગેરન્ટી નથી આપતું. કોરોનાની બીજી લહેર હજું સમાપ્ત થઇ નથી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોનાની બીજી લહેર હજું સમાપ્ત થઇ નથી અને આગામી તહેવારોનાં કારણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાઓ કોરોના મેનેજમેન્ટ માટે ખુબ મહત્વપુર્ણ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નાં ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યુ કે વેક્સિન બીમારીને ઓછી કરવા માટે છે,જો કે તેનાથી સંપુર્ણ સુરક્ષા મળતી નથી, માટે રસીકરણ બાદ પણ દરેક વ્યક્તિએ માસ્કનો ઉપયોગ કરતા રહેવું ખુબ મહત્વનું છે.