
હાલમાં જ્યારે ગરમીનો પારો દિવસે ને દિવસે ઉપર ચઢતો જાય છે ત્યારે આપણાં વાહનના ટાયર પણ વધારે ગરમના થઈ જાય તેની કાળજી લેવી અત્યંત આવ્શ્યક ગણાય.અતિશય ગરમીમાં વાહનોના ટાયર ફાટવાની ઘટના વધારે બનતી હોય છે.આવો આપણે જાણીએ કે સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઈટ્રોજનની હવા શા માટે ભરાવવી જોઈએ.
વાહનોના વિજ્ઞાન અનુસાર નાઈટ્રોજન ગેસ ઉનાળાની ઋતુમાં પણ ટાયરને ઠંડુ રાખે છે.
નાઈટ્રોજન સામાન્ય હવા કરતાં વધુ સમય સુધી રહે છે. જેના કારણે વારંવાર ટાયરમાં હવા ભરવાનું ટેન્શન રહેતું નથી. સામાન્ય હવા ભેજ જેવી સમસ્યા છે. જેના કારણે વાહનોના ટાયરને નુકસાન થવાનો ભય રહે છે અને ટાયર પર દબાણ થાય છે અને રિમ કે એલોય વ્હીલ પર પણ તેની ખરાબ અસર પડે છે. ખાસ કરીને એક્સપ્રેસ વે કે હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઇટ્રોજન ગેસ ભરવાનો આગ્રહ રાખવો જોઈએ.
ટાયરમાંઆવેલા રબરના કારણે ટાયરમાં નાઈટ્રોજન ગેસ ઓછો વધુ થઈ શકે છે, જેના કારણે ટાયરમાં દબાણ બરાબર રહે છે એટલા માટે જ ફોર્મ્યુલા વન રેસિંગ કારના ટાયરોમાં માત્ર નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. જ્યારે ટાયરમાં નાઈટ્રોજન ભરવામાં આવે છે, ત્યારે તે ટાયરની અંદરના ઓક્સિજનને પાતળું કરે છે, ઓક્સિજનમાં હાજર પાણીને દૂર કરે છે. જેથી ટાયર વધુ સુરક્ષિત રહે છે. જ્યારે ટાયરમાં નાઈટ્રોજન ગેસ ઉમેરવામાં આવે છે, ત્યારે તેની માત્રા 93-95 ટકા સુધી જાય છે. આ ભેજને દૂર રાખે છે. કારણ કે નાઈટ્રોજન ઓક્સિજન કરતા હળવા હોય છે. તેથી તે ઊંચી ઝડપે પણ દબાણ ઓછું કરે છે. નાઈટ્રોજન ગેસના ઉપયોગથી ટાયરનું આયુષ્ય વધે છે. આ સાથે ટાયર જૂના થઈ ગયા પછી પણ વાહનનું માઈલેજ પણ સારું રહે છે.તમારા ટાયરનું સ્વાસ્થ્ય તેમાં કઈ હવા ભરો છો તેના પર આધાર રાખે છે આથી આ બાબતને ખાસ મહત્વ આપવું જોઈએ
