કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં જનભાગીદારીથી જનસુરક્ષાના ઉમદા હેતુથી ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.આ મૉકડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનને સક્રિય કરવામાં આવશે.નાગરિકો અને વિદ્યાર્થીઓને દુશ્મનના ડુમલાઓ દરમ્યાન આત્મસુરક્ષાનું પ્રશિક્ષણ અપાશે.ક્રેશ બ્લેકઆઉટ (અંધારપટ)ની વ્યવસ્થા કરાશે. જેથી જ્યારે જરૂર પડે ત્યારે એક સાથે વીજળી બંધ કરી શકાય જેથી દુશ્મન લક્ષ્ય ન જોઈ શકે.મહત્ત્વની બિલ્ડીંગો અને જગ્યાઓને છુપાવવા વ્યવસ્થા કરાશેસ્થળાંતરની યોજનાને અપડેટ કરવામાં આવશે તેમજ તેનું રિહર્સલ પણ કરાશે.