Read Time:1 Minute, 21 Second
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલ કોરોના રસીકરણ કાર્યક્રમ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ડેલ્ટા+ વેરિએન્ટ દેશમાં આવી ગયો છે. હજુ માત્ર 3.6% લોકોનું જ સંપૂર્ણ રસીકરણ થયું છે. પરંતુ પીએમ અત્યારે ઇવેન્ટ મેનેજરની ભૂમિકામાં છે. પોતાને જ શાબાશી આપ્યાના બીજા દિવસે રસીકરણમાં 40 ટકાનો ઘટાડો થયો છે. મોદી સરકારે તારીખ 21 જૂન થી સમગ્ર દેશમાં કોરોનાની નિ:શુલ્ક રસીકરણની સરૂયાત કરી અને પ્રથમ દિવશે રેકોર્ડ બ્રેક રસીના 88 લાખ કરતા પણ વધારે ડોઝ આપવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએકહ્યું કે કોરોના રસીકરણ જ્યાં સુધી સતત મોટા સ્તર પર નહીં થાય ત્યાં સુધી આપણો દેશ સુરક્ષિત નથી. અફસોસ કે કેન્દ્ર સરકાર પીઆર ઇવેન્ટથી આગળ નથી વધી રહી.
![Avatar](https://yestv.co.in/wp-content/uploads/2024/04/Screenshot_20210509-0942042.jpg)