
ભરૂચમાં સામે આવેલ મનરેગા કૌભાંડ મામલે ભરુચના ધારાસભ્ય મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ થયા હોવાનો ચોકાવનારો દાવો કર્યો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે બધા જ લોકોની આમાં મિલિભગત હોય છે, તેમાં રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશ્નર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી આ બધા જ લોકો આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેનો કર્મચારી ફસાઈ જાય છે. પરંતુ, બધાનું જ આમાં સેટિંગ હોય છે.’ મનસુખ વસાવાએ નિવેદન આપતા વધુમાં જણાવ્યું કે 58 ગામોમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. વેરાવળમાં બે ઘટનાઓ સંદર્ભે પણ ગુનો નોંધાયો છે.આ યોજનામાં કૌભાંડ ન થાય તે માટે સિસ્ટમમાં ફેરફાર કરવાની પણ તેમણે માંગ કરી છે.આ નિવેદન રાજ્યના રાજકારણમાં નવા વિવાદો ઉભા કરી શકે છે.
મનરેગાના કામોમાં ભરૂચમાં 56 ગામમાં 7.30 કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુરલી એન્ટરપ્રાઇઝને 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 એમ કુલ 19,64, 574 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.આરોપ છે કે આમોદ, જંબુસર અને હાસોટ તાલુકામાં કરોડોના કૌભાંડને અંજામ આપ્યો છે. ફરિયાદ છે કે ગુણવત્તાના અભાવ સાથે માનવશ્રમના ઉપયોગ વગર જ કરોડોના બિલો પાસ કરી દેવામાં આવ્યા છે. મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કર્યો હોવાની પણ ફરિયાદ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કૌભાંડમાં સરકારી કર્મચારીઓની મીલીભગત છે.
