મંદિરની જમીનના માલિક બનવા નીકળી પડેલા પૂજારીઓને સુપ્રીમ કોર્ટનો જોરદાર જટકો

મંદિરની જમીનના માલિક બનવા નીકળી પડેલા પૂજારીઓને સુપ્રીમ કોર્ટનો જોરદાર જટકો

0 0
Spread the love
Read Time:1 Minute, 27 Second

મધ્યપ્રદેશના એક મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે મંદિર સંપત્તિ પર ફક્ત મંદિરના દેવતાનો જ માલિકીનો હક રહેશે,પુજારી અને સંચાલન સમિતિના લોકો ફક્ત સેવક જ રહેશે.સુપ્રીમ કોર્ટે અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાના હવાલાથી મધ્યપ્રદેશના એક મંદિરના કેસમાં આ ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં એ પણ સ્પષ્ટ કર્યુ છે કે પુજારીઓ ફક્ત આ સંપત્તિઓની દેખરેખ માટે છે.સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે તમામ રેકોર્ડમાં પુજારીનું સ્થાન એક નોકરનું રહેશે,માલિક તરીકેનુ નહીં.પૂજારીઓના નામ જમીન મહેસૂલી રેકોર્ડમાંથી હટાવવા જોઈએ. જમીન માલિકના રૂપમા યોગ્ય કોલમમાં દેવતાનું નામ જ રહેશે તેવી સ્પસ્ટતા પણ આદેશમાં કરવામાં આવી છે.દેશના અનેક મંદિરોમાં મંદિર પુજારી અને સંચાલના લોકો મંદિર સંપત્તિ પર પોત પોતાનો દાવો કરતા રહે છે તેમના માટે આ ચુકાદો આઘાત સમાન બની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કાયદો અને ન્યાય