હાલમાં ગુજરાતનાં મોટા ભાગમાં વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે.સામાન્ય વારસદમાં પણ આપણે પહેરેલા માસ્ક ભીના થઈ જતાં હોય છે. તબીબી નિષ્ણાતના કહેવા મુજબ ભીનું માસ્ક પહેરવાથી આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થઈ શકે છે.ભીનું માસ્ક આપને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકશે નહી.એટલું જ નહી,નવી બીમારીને આમંત્રણ આપે છે.WHO દ્વારા પણ અગાઉ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી.વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં ભીના માસ્ક પહેરવાનું ટાળવું જોઈએ.થ્રી લેરવાળા માસ્ક વધુ સ્લામત હોવાનું પણ જણાવેલ છે.