
આજે દેશની સર્વોચ્ય અદાલતના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનો આજે છેલ્લો દિવસ છે.છેલ્લા 6 મહિનાથી તેઓ આ પદ સાંભળી રહ્યા હતા.જસ્ટિસ ખન્નાની કાનૂની કારકિર્દી દિલ્હી જિલ્લા કોર્ટથી શરૂ થઈ હતી અને દિલ્હી હાઈકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ સુધીની રહી છે.તેમણે લગભગ 6 મહિના સુધી આ પદ સાંભળ્યું.. નિવૃત્તિ પહેલા, તેમણે આજે સ્પષ્ટ કર્યું કે, ‘હું નિવૃત્તિ પછી કોઈપણ પદ સ્વીકારીશ નહીં. પણ કદાચ કાયદાના ક્ષેત્રમાં ચોક્કસપણે કંઇક કરીશ. જસ્ટિસ ખન્નાએ તેમના કાર્યકાલ દરમ્યાન ચૂંટણી બોન્ડને ગેરકાયદેસર જાહેર કરવા,અરવિંદ કેજરીવાલને જામીન આપવા, કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને સમર્થન,વક્ફ સુધારા કાયદામાં મુસ્લિમ પક્ષને રાહત, તાજેતરના મંદિર-મસ્જિદ વિવાદમાં કોઈપણ નવા સર્વે પર પ્રતિબંધ, જેવા મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી કરતી બેન્ચનો તેઓ એયક ભાગ બન્યા હતા. આવતી કાલે 14 મેના રોજ દેશના 52માં CJI તરીકે જસ્ટિસ બીઆર ગવઈ શપથ ગ્રહણ કરશે.
