આપણે સૌ જીવનમાં સુખી થવા માટે દિવસ-રાત દોડધામ કરીએ છીએ.ઘણી વખત જે મળ્યું છે તેનાથી આપણને સંતોષ નથી હોતો અને તેના કારણે આપણે દુખી રહીએ છીએ.હકીકત એ છે કે કુદરત જન્મ આપવાની સાથે સાથે દરેક મનુષ્ય-પ્રાણીને તેના પૂર્વ જન્મના કર્મોને આધિન વ્યવસ્થા કરી આપે છે.આપણને જે મળ્યું છે તેમાં સંતોષ માનીને,કુદરતની ભેટ સમજીને જો જીવન જીવવા પ્રયત્ન કરીશું તો,જીવનમાં આપણને આનદની અનુભૂતિ થશે અને આપણે દુખી નથી પરંતુ સુખી જ છીએ તેવો અહેશાસ જરૂર થસે.આ અનુભૂતિ જ તમારા જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખોલો નાખશે.