0
0
Read Time:1 Minute, 10 Second
જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યક્તિ હોય છે જે તેને ખૂબ પ્રિય હોય છે.ઘણી વખત આપણે જે પ્રિય વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને મનમાં શંકા ઊભી થતી હોય છે અથવા ડર લાગતો હોય છે કે મારા પ્રેમથી સામેની વ્યક્તિ મારાથી દૂર તો નહીં થઈ જાય ને?સામેની વ્યક્તિ શું મને પણ એટલો જ પ્રેમ-પસંદ કરતી હશે? જો તમે કોઈને સાચા દિલથી ચાહો છો,પસંદ કરો છો તો,તેને એટલો પ્રેમ કરોકે તેને તમારા પ્રેમનો સ્વીકાર કરવો જ પડે.આ પ્રેમ માતા-પિતા,પુત્ર-પુત્રી,ભાઈ-બહેન,કુટુંબના કોઈ સગા-સંબંધી,પ્રેમી-પ્રેમિકા,પતિ-પત્ની તથા ઈશ્વર પ્રત્યે પણ હોઈ શકે છે? જેને તમે સાચો પ્રેમ કરો છો તેની પાસેથી કોઈ અપેક્ષા રાખવી નહીં,પ્રેમ ભલે એક તરફી હોય બસ નિર્મળ પ્રેમ જ કરજો.