0
0
Read Time:1 Minute, 14 Second
ટેક્નોલોજીના યુગમાં સોશ્યિલ મીડિયાના લાભની સાથે સાથે જોખમ પણ જોડાયેલું છે.સોશ્યિલ મીડિયાના વોટસઅપ,ફેસબુક,ઇન્સટ્રાગ્રામ જેવા વિવિધ માધ્યમોનો દુરુપયોગ થતો હોવાના અનેક કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે.આથી ભારત સરકારે તા.25 ફેબ્રુઆરી થી નવી આઇટી રુલ ઇન્ટરમેડિયરી ગાઈડલાઈન એન્ડ ડિઝીટલ મીડિયા એથિક્સ કોડ નિયમ- 2021 જાહેર કરવામાં આવી છે.આ નિયમો લાગુ કરવાથી ડમી યુઝ ર્ખુલ્લા પડી જશે અને ગુનાહિત પ્રવૃત્તિ અટકશે તેવું સરકાર અને સાયબર એક્સપર્ટનું માનવું છે.જોકે આવું કરવાથી સોશ્યિલ મીડિયાના રિયલ યુઝરના ડેટા જાહેર થઈ જશે જશે અને તેમની પ્રાઇવેસી જોખમમાં મુકાશે? નવી પોલિસી હાલતો વિવાદમાં છે અને તેના અમલ બાબતે મતમતાંતર ઉભા થયા છે અને દિન-પ્રતિદિન તેનો વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે.