હનુમાન દાદાના પોતાના અલગ અલગ સ્વરૂપ છે.દરેક અલગ સ્વરૂપોની પોતાનું મહત્વ હોય છે.એકસાથે અનેક મનોકામના પૂર્ણ કરવા માટે 11 મુખી હનુમાનજીની આરાધનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.હનુમાનજી નું દરેક મુખ અલગ શક્તિ અને વ્યક્તિત્વ ધરાવે છે. આ જ કારણે અગિયાર મુખી હનુમાનજીની પૂજા કરવાથી અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે.અગિયાર મુખી હનુમાનજીની શક્તિઓ અપાર હોય છે.11 મુખી હનુમાનજી ભાગ્યે જ જોવા મળે છે જેની પૂજા કરવાથી બધાં જ કષ્ટો નું નિવારણ થાય છે. હનુમાન ચાલીસામાં કહ્યું છે તેમ ‘સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જો લાવે’ જે ભક્ત મન અને શ્રદ્ધાપૂર્વક હનુમાનજીનું એકવાર પણ નામ લે છે રામદૂત તરત જ તેમનું દરેક સંકટ દૂર કરે છે.