ગત રોજ રાત્રીથી ‘તાઉ તે’ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું છે.ઉનાથી પ્રવેશ કર્યા બાદ ભાવનગરથી ઉતર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.વાવાઝોડાના કારણે સોરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે.છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક તાલુકા વાવાઝોડાથી અતિ પ્રભાવિત થયા છે. ગુજરાતના દરિયાકાંઠે તો જાણે તાંડવ રચાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.’તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે, જે કલાકના 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. .’તાઉ’તે’ વાવાઝોડું 23 વર્ષ પછી ગુજરાતમાં સૌથી ભયાનક વાવાઝોડું. માનવામાં આવે છે.’તાઉ’તે’ વાવાઝોડુંથી થયેલ ભારે તબાહીના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેનો 21મી સુધી બંધ કરવાની તંત્રને ફરજ પડી છે આ ઉપરાંત અમદાવાદ-સુરત એરપોર્ટ, બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં ‘તાઉ તે’ વાવાઝોડાથી ચારેબાજુ તબાહીના સર્જાયા દ્રશ્યો
Read Time:1 Minute, 23 Second